દેશના સામાન્ય વર્ગના નાગરીકોના આર્થિક રીતે પછાત કુટુંબો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતનો લાભ આપવાનો કાયદો ગઇકાલથી જ અમલમાં આવી ગયો છે.
સરકારે બહાર પાડેલા જાહેરનામા અનુસાર બંધારણીય ૧૦૩મો સુધારો કાનૂન ૨૦૧૯ની જાગવાઇઓ ગઇકાલથી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગયા શનિવારે આ કાયદાને મંજુરી આપી હતી. બંધારણીય કલમ ૧૫ અને ૧૬માં સુધારા કરતાં આ કાયદામાં સામાન્ય વર્ગના કોઇપણ આર્થિક રીતે નબળા કુટુંબોના વિકાસ માટે ખાસ જાગવાઇ કરવાની તમામ રાજ્યોને છૂટ આપતી કલમ પણ ઉમેરવામાં આવી છે.