તમિલનાડુના ત્રિચી ખાતેના કુરઈયુર નજીક એક મંદિર ખાતે પર્વની ઉજવણી પ્રસંગે થયેલી નાસભાગમાં સાત ભાવિકોના કરૂણ મોત નીપજ્યા છે અને દસ જણાને ઈજા થઈ છે.
પોલીસોના જણાવ્યા મુજબ નાણાં વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવા ભાવિકો ઉમટી પડ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના બદલઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
Âટ્વટર ઉપર તેમણે જણાવ્યું છે કે, વહિવટીતંત્રને શક્ય તમામ સહાય આપવામાં આવી રહી છે.
શ્રી મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારના એક કુટુંબીજનને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મહેરનીરૂએ બે લાખ રૂપિયા તથા ઈજાગ્રસ્તોને દરેકને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
એવી જ રીતે તમીલનાડુના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ પણ મૃત્યુ પામનાર દરેકના એક કુટુંબીજનને એક લાખ રૂપિયા તથા દરેક ઈજાગ્રસ્તને ૫૦ હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.