જૈશે મહંમદના બે પાકિસ્તાની ત્રાસવાદીઓની એનઆઈએ દ્વારા ધરપકડ

રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ પાકિસ્તાન ખાતેના જૈશ-એ-મહંમદ સંગઠનના બે આતંકવાદીઓને પકડી પાડ્યા છે. એન.આઈ.એ.ની યાદીમાં જણાવ્યું છે કે, આરોપી અહેમદ ગની અને બિલાલ અહેમદ મિર નામના બે આતંકવાદીઓની જાહેર સલામતી ધારા હેઠળ ધરપકડ કરાઈ છે તથા તેમને જમ્મુની કોટભલવાલ જેલમાં મોકલવામાં આવ્યા છે.

આ બંને આરોપીઓને ગઈકાલે અદાલતમાં રજુ કરાયા બાદ અદાલતે તેમને સાત દિવસની કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. આ બંને જણા સામે પ્રતિબંધીત જૈશ-એ-મહંમદ સંગઠન માટે સ્થાનિક સ્તરે ભરતી કરવાનો અને જૈશ સંગઠનનો આધાર ભારતમાં મજબૂત બનાવવાની કામગીરી કરવાનો આરોપ છે.