સર્વોચ્ચ અદાલતે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ સામે જાતિય સતામણીના કરાયેલા આરોપોની ચકાસણી કરતી આંતરીક તપાસ સમિતિના નવા સભ્ય તરીકે ન્યાયધીશ ઈન્દુ મલ્હોત્રાની નિમણૂક કરી છે. ગઈકાલે ન્યાયાધીશ એન.વી.રામનના આ સમિતિમાંથી ખસી જતાં અદાલતે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે, ન્યાયાધીશ એસ.એ.બોબડેના વડપણ હેઠળની આંતરીક તપાસ સમિતિમાં ન્યાયાધીશ ઈન્દુ મલ્હોત્રા ઉપરાંત ઈÂન્દરા બેનરજી પણ સભ્ય છે. આ પેનલની પહેલી બેઠક નિર્ધારીત સમય પત્રક મુજબ આજે યોજાશે.